Sunday, September 7, 2025
HomeIndiaમહારાષ્ટ્રમાં હવે ભાજપના જ મુખ્યમંત્રી, શિંદેને દિલ્હી મોકલાશે કે પછી નાયબ મુખ્યમંત્રી...

મહારાષ્ટ્રમાં હવે ભાજપના જ મુખ્યમંત્રી, શિંદેને દિલ્હી મોકલાશે કે પછી નાયબ મુખ્યમંત્રી બનવા તૈયાર થશે?

Related stories

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

આજ રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ આણિ મંડણીનો NDA-રથ સૌથી આગળ ચાલી રહ્યો છે, એમાંય ભાજપ એકલે હાથે સરકાર બનાવી શકે એવા આંકડાં આવી રહ્યા છે. જો એમ થશે તો શું એકનાથ શિંદેના હાથમાંથી મુખ્યમંત્રી પદ સરકી જશે? શું ભાજપના જ કોઈ નેતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે બિરાજમાન થશે?મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને બમ્પર જીત મળી ગઈ છે. એવામાં શિવસેનાએ ફરીથી શિંદેને જ CM બનાવવાની માંગ કરી છે. શિવસેના સાંસદ નરેશ મ્હસ્કેએ માંગ કરી છે, કે ‘હું શિવસેના કાર્યકર્તા છું અને હું ઈચ્છું છું કે શિંદે જ ફરી રાજ્યની સત્તા સંભાળે.આ લખાય છે ત્યારે NDA 210 સીટો પર આગળ છે, જેમાં એકલું ભાજપ 124 સીટો પર આગળ છે. શિવસેના 55 બેઠકો પર અને અજિત પવારની એનસીપી 34 બેઠકો પર આગળ છે. મહાવિકાસ આઘાડી 67 બેઠકો પર બહુમત ધરાવી રહ્યું છે.અત્યારે જે વલણ ચાલુ છે એ જ જો છેવટના પરિણામમાં પલ્ટાશે તો ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે અને એ પોતાના દમ પર સરકાર બનાવી શકશે. એની સીધી અસર એનડીએ ગઠબંધનના ઘટક પક્ષો એટલે કે એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી પર પડશે.

શું થશે સાથે પક્ષોનું? :
સરકાર બનાવવા માટે ભાજપને સાથી પક્ષોના ઓશિયાળા નહીં રહેવું પડે તો શિવસેના અને એનસીપીના હાથમાં મોટા મંત્રી પદો નહીં આવે. રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવતાં ભાજપ પોતાના પક્ષની વ્યક્તિને જ મુખ્યમંત્રી બનાવશે અને અન્ય મહત્ત્વના ખાતાં પણ પોતાની પાસે જ રાખશે. ભાજપનું નાક દબાવીને મનગમતાં પદ મેળવી લેવાની સોદાબાજી કરવાની તક આ વખતે શિવસેના અને એનસીપી પાસે નહીં રહે. ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ લીડ મળતાં સોશિયલ મીડિયા પર દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે. નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર દેવેન્દ્ર ફડણવીસ 12402 મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે.

એકનાથ શિંદેનું શું થશે? :
મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી બનશે તો વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેનું શું થશે? તેમને કદાચ દિલ્હી મોકલી દેવાશે અથવા તો ઉપ મુખ્યમંત્રી પદ અપાશે. પણ શું શિંદે એનો સ્વીકાર કરશે? એનસીપીના અજિત પવારે પણ ભાજપની મહેરબાનીથી જે કંઈ મળે એનાથી ચલાવી લેવાનો વારો આવશે. ટૂંકમાં, રાજ્યમાં એકલે હાથે સત્તા હાંસિલ કરવાની તક મળશે તો એનડીએમાં ભાજપ પહેલાં કરતાં વધુ મજબૂત બની જશે.

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here