Saturday, September 6, 2025
HomeGujaratત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં લોક સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ

ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં લોક સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ

Related stories

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ સાથે મેળાનું વિશેષ મહત્વ છે. તહેવાર અને જન્મદિવસની જેમ સૌરાષ્ટ્રના મેળાની લોકો કાગડોળે વાટ જોતા હોય છે. સુરેન્દ્ર નગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં યોજાતા જગવિખ્યાત તરણેતરના મેળાની આજથી શરૂઆત થઈ ચૂકી છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે 9:30 થી મેળાનો આરંભ થઈ ચુક્યો છે. આજથી સતત ત્રણ દિવસથી સુધી સૌરાષ્ટ્રમાં લોકો આ મેળાનો આનંદ માણશે.મેળાનું નામ લેતાં મોટા-મોટા ચકડોળ, રમકડાંની દુકાનો, અવનવી ખાણી-પીણીની દુકાનો અને માનવ મહેરામણ નજરની સામે ફરવા લાગે છે. જોકે, તરણેતરનો મેળો આ બધી વાતોની સાથે પોતાના ઈતિહાસ અને પૌરાણિક કથાઓ અને ધાર્મિક મહત્વને લઈને પણ દેશ-દુનિયામાં પ્રખ્યાત છે. ભાદરવા સુદ ત્રીજથી શરૂ થતાં આ મેળાનો આરંભ મહાદેવની પૂજા સાથે થાય છે. ત્યારબાદ ચોથના દિવસથી મેળાની અસલ રંગત જામે છે. રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલાય છે. ટીટોડી અને હુડા રાસ આ મેળાની આગવી ઓળખ છે.

છેલ્લે પાંચમના દિવસે સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. મેળાના છેલ્લા દિવસે મંદિરની ત્રણ દિશામાં આવેલાં કુંડામાં ન્હાવાનું ખાસ મહત્વ છે. આ વર્ષે તરણેતરના મેળામાં દર વખતની જેમ પારંપારિક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરતગૂંથણ, વેશભૂષા, છત્રી સજાવટ જેવી આશરે 24 જેવી સ્પર્ધાઓ યોજાઈ છે. આ ત્રણ દિવસના મેળામાં યોજવામાં આવેલી સ્પર્ધાઓ સમગ્ર સૌરાષ્ટ્રની ઝાંખી કરાવે છે.થાનગઢ સ્ટેશનથી છ માઈલ દૂર આવેલા તરણેતરમાં આ મેળો ભરાય છે. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતાં એવી લોકવાયકા છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે.

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here