Saturday, September 6, 2025
Homenationalદેશ લોકોથી બને છે, જમીનના કોઇપણ પ્લોટથી નહીં : રાહુલ

દેશ લોકોથી બને છે, જમીનના કોઇપણ પ્લોટથી નહીં : રાહુલ

Related stories

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

નવી દિલ્હી, તા. ૬
જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાના નિર્ણય ઉપર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મૌન તોડીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. સાથે સાથે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ આ બિલનો વિરોધ કરતા કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરને એક તરફી રીતે ચુકાદા મારફતે ટુકડામાં વિભાજિત કરવામાં આવ્યું છે. બંધારણનો ભંગ કરીને આ નિર્ણય કરવામાં આવ્યા છે. રાહુલે કહ્યું હતું કે, આનાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપર અસર થશે. રાહુલ ગાંધીએ પોતાના Âટ્‌વટર હેન્ડલથી Âટ્‌વટ કરીને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરને એક તરફી ચુકાદામાં ટુકડામાં વિભાજિત કરવાની બાબત, જન પ્રતિનિધિઓને જેલ ભેગા કરવાની બાબત અને બંધારણના ભંગની બાબતથી રાષ્ટ્રીય એકીકરણની Âસ્થતિ બનતી નથી. રાહુલે માંગ કરી હતી કે, તમામ બાબતો ઉપર સાથે લઇને ચાલવાની જરૂર છે. દેશ લોકોથી બને છે જમીનના કોઇ પ્લોટથી દેશ બનશે નહીં. શÂક્તના ખોટા ઉપયોગથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપર ગંભીર અસર થશે. જમીનના ભૂખંડોથી દેશ બનશે નહીં. રાહુલે પોતાની ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે સરકારના નિર્ણયને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષ વચ્ચે જારદાર ઉગ્ર બોલાચાલી થઇ હતી. આમને સામને આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. લોકસભામાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, રાતોરાત નિયમ કાયદાનો ભંગ કરીને જમ્મુ કાશ્મીરનું વિભાજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટી કલમ ૩૭૦ના મુદ્દે પણ બેકફૂટ ઉપર નજરે પડી રહી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના બંધારણનું શું થશે. સરકાર તે બંધારણને ફગાવી દેવા માટે પણ કોઇ બિલ લઇને આવશે કે કેમ. સરકારે બંધારણીય પાસાઓ ઉપર કોઇ વિચારણા કરી નથી. આંધ્રપ્રદેશ અને તેલંગાણા બનતા પહેલા આંધ્રપ્રદેશની વિધાનસભા સાથે વાતચીત કરવામાં આવી હતી. સરકારે બંધારણીય પાસાઓ ઉપર ચર્ચા કરી નથી. વિધાનસભા સાથે ચર્ચા સહિતના મુદ્દાના રેકોર્ડ રહેલા છે. યુપીએની સરકારે ક્યારે પણ કોઇ ગેરબંધારણીય કામ કર્યું ન હતું. મનિષ તિવારીએ કહ્યું હતું કે, બંધારણની કલમ ત્રણની જે જાગવાઈ છે તે જાગવાઈ મુજબ આંધ્રપ્રદેશની વિધાનસભા અને વિધાન પરિષદ પાસેથી અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા ત્યારબાદ આંધ્ર અને તેલંગાણાની રચના થઇ હતી. કોંગ્રેસના અનેક નેતાઓએ પણ પોતાની રજૂઆત કરી હતી. સરકારના ફેરરચના બિલને લઇને કેટલાક નેતાઓ સમર્થનમાં પણ દેખાયા હતા. રાહુલ ગાંધીએ સોમવારના દિવસે ૩૭૦ના મુદ્દે કોઇ નિવેદન કર્યું ન હતું પરંતુ આજે પોતાની રજૂઆત કરી હતી.

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here